Skip to main content

Posts

સાદું, સંયુક્ત અને મિશ્ર વાક્ય

તમે જ્યારે કંઈક વાંચો છો ત્યારે કેટલુંક જલદી જલદી સમજાઈ જાય તેવું હોય છે. પણ કેટલુંક સમજવામાં થોડુંક અઘરું લાગે છે. આવું કેમ થતું હશે? આપણે ઉદાહરણો દ્વારા એને સમજીએ: આ વાક્યોને વાંચો. 1. અમદાવાદ મોટું શહેર છે. (સાદું-સરળ વાક્ય) 2. હું કાલે વાડીએ જઈશ અને બાપુજી શિબિરમાં જશે. (સંયુક્ત વાક્ય) 3. લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ સોળ અઠવાડિયાં વગર લાડુએ ખેંચી કાઢવાં એ જેવીતેવી વાત ન હતી. (મિશ્ર-સંકુલ વાક્ય) ઉપરનાં ત્રણેય વાક્યો વાંચતાં સમજાયું હશે કે, પહેલું વાક્ય સાવ સરળ છે. કારણ કે એમાં એક જ ક્રિયાપદ અને ઉદેશ (અમદાવાદ) કે વિધેય (મોટું શહેર) છે. બીજું વાક્ય ખરેખર તો બે વાક્યો ભેગાં કરીને, સંયોજક મૂકીને વાક્ય બનાવ્યું છે. એમાં એકથી વધારે ઉદ્દેશ (હું અને બાપુજી) અને વિધેય (વાડીએ અને શિબિરમાં) હોય છે. જ્યારે ત્રીજા વાક્યમાં બેથી વધારે વાક્યો એકબીજામાં ગૂંથીને એક મોટું અને જલદી ન સમજાય એવું વાક્ય બનાવ્યું છે. આવા પ્રકારની જુદી જુદી વાક્યરચનાના આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે. 1. સાદું વાક્ય (સરળ વાક્ય): એમાં સામાન્ય રીતે એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય - વિધેય હોય છે. રતનપ...

સંયોજક

આ વાક્યો વાંચો : 1. મનુભાઈ મોહનભાઈ આવ્યા. 2. મનુભાઈ અને મોહનભાઈ આવ્યા. 3. મનુભાઈ કે મોહનભાઈ આવ્યા. અહીં પ્રથમ વાક્યમાં મનુભાઈ નામની એક જ વ્યક્તિ આવી છે, મોહનભાઈ તો એના પિતાનું નામ છે. બીજા વાક્યમાં મનુભાઈ અને મોહનભાઈ એમ બંને વ્યક્તિ આવી છે. જ્યારે ત્રીજા વાક્યમાં મનુભાઈ અથવા તો મોહનભાઈ બંનેમાંથી કોઈ એક વ્યક્તિ જ આવી છે એમ સમજાય છે. ટૂંકમાં અહીં 'અને' તથા 'કે' મૂકવાથી વાક્યના અર્થ બદાલય છે. આ બંને શબ્દો વાક્યને જોડનાર તથા અર્થ પ્રગટ કરનાર બની રહે છે. બોલચાલમાં એના જેવા બીજા શબ્દો પણ સહજ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. આવા શબ્દો એટલે જ સંયોજકો.  બે પદો, પદસમૂહો કે વાક્યને જોડનાર પદને સંયોજક કહે છે. નદીના બે કિનારાને જેમ પુલ જોડે છે, એમ સંયોજકનું કામ પદો અને વાક્યોને જોડવાનું છે.  મીનુ અને દનુ કપિલ કે કેના ગોપાલ તથા અનિલ (અહીં બે પદોનું જોડાણ થયું છે.) શીલુને ઘેર અને રામને ઘેર દીપાના પપ્પા તથા શિલ્પાના પપ્પા (અહીં બે પદ સમૂહોનું જોડાણ થયું છે.) દાદા આવ્યા અને કાકા આવ્યા. (અહીં બે વાક્યોનું જોડાણ થયું છે.) સુનીલ રમવા ગયો તથા ધાર્મિક રમવા ગયો. (અહીં બે વાક્યોનું જોડાણ થયું છે.) ...

ક્રિયાપદ

નીચેનાં વાક્યો વાંચો : 1. એ આવ્યા એટલે અમે ઊભાં થયાં. 2. સોમનાથે એમની ડાયરી ખોલી. 3. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. પહેલા વાક્યમાં કોઈ ઘટના બની તેની વાત છે. ચર્ચા શરૂ થાય કે ચર્ચા ચાલે એ જેમ ઘટના છે તેમ ચર્ચા અટકે એ પણ ઘટના છે. એની જાતે સહજ અથવા કોઈ કુદરતી સંજોગો અનુસાર એ થાય. 'અટકવું' એ પ્રક્રિયા છે. બીજા વાક્યમાં સોમનાથે કોઈ ક્રિયા કરી એની વાત છે. સોમનાથે' ઈરાદાપૂર્વક, સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી તેથી ક્રિયા ગણાય. 'ખોલવું' એ ક્રિયા છે. ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે. વાક્યમાંનું ક્રિયાપદ 'છે' સ્થિતિનું વર્ણન કરે છે. વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય. વાક્યરચનામાં નામપદ પહેલાં આવે અને ક્રિયાપદ અંતે આવે. આ ક્રિયાપદ નામ તરીકે આવેલી વ્યક્તિ, પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિમાં છે તે દર્શાવે છે. નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિતિ કહે છે. નામની હલન-ચલનની પરિસ્થિતિ સૂચવાય અને તે હલન-ચલન માટે નામ દ્વારા સૂચવાયેલી વ્યક્તિ, પદાર્થ વગેરે ઇરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે. જો હલન-ચ...

સંજ્ઞા

વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય. ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા, ફૂલ ઉપર આપેલાં નામો (સંજ્ઞા) તે નામથી ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે. આથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. સંજ્ઞા વિશે જાણીએ નામનું મૂળ અંગ એટલે જ સંજ્ઞા. તે શબ્દનો એક પ્રકાર છે. બારી, ઘર, ઝાડ, ખમીસ, મન, ગામ, પહેરણ, વગેરે સંજ્ઞાઓ છે. સંજ્ઞાઓને પોતાનું લિંગ અવશ્ય હોય છે. કેટલીક સંજ્ઞામાં લિંગનો પ્રત્યય દેખાય છે. જેમકે, બારી - સ્ત્રીલિંગ (ઈ), બારણું - નપુંસકલિંગ (ઉં.), દરવાજો - પુલ્લિંગ (ઓ), વાર્તા - સ્ત્રીલિંગ (આ) જ્યારે કેટલીક સંજ્ઞામાં આવા પ્રત્યય દેખાતા નથી, છતાં એમનું લિંગ હોય છે જ. ઉદા: બરફ (પુ.), જમીન (સ્ત્રી.), મકાન (નપું.) લિંગ વિનાની સંજ્ઞા હોતી નથી. જે સંજ્ઞાનું લિંગ દેખાતું ન હોય તે જાણવા માટે કોશનો ઉપયોગ કરી શકાય. સંશાનું લિંગ જાણવું આવશ્યક હોય છે, કારણ કે એ અન્ય શબ્દો પર અસર કરે છે. ઉદા: ‘નાની બારી ખોલી' આ વાક્યમાં બારી શબ્દ સ્ત્રીલિંગ છે અને એને કારણે 'નાની' અને 'ખોલી' બન્નેમાં 'ઈ' પ્રત્યય આવે છે. 'એમ મીઠું સફરજન ખાધુ...

વિશેષણ

નીચેના શબ્દો જુઓ : ઠીંગણું બાળક, અનાથ બાળા, કાટવાળો સિક્કો, કાળી ગાય, પાંચ કબૂતર, ગરમ દૂધ, મોટી પેન્સિલ, ફાટેલું પહેરણ. ઉપરના શબ્દોમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે તે શબ્દ નામ છે. બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ આ શબ્દો નામ છે. જે શબ્દ નામના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે છે તે શબ્દ વિશેષણ છે. બાળક કેવું? ઠીંગણું, બાળા કેવી? અનાથ, સિક્કો કેવો? કાટવાળો, ગાય કેવી? કાળી, કબૂતર કેટલાં? પાંચ, દૂધ કેવું? ગરમ, પહેરણ કેવું? ફાટેલું વગેરે. અહીં ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, પાંચ, ગરમ, મોટી, ફાટેલું - આ શબ્દો વિશેષણ છે. તું અણીવાળી પેન્સિલથી લખે છે. (કેવી પેન્સિલ?) વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. (કેવું પાણી?) કીત સુંદર અક્ષરે લખે છે? (કેવા અક્ષરે?) ઉપરના વાક્યોમાં ઘાટા શબ્દો વિશેષણો છે. વિશેષણ અને વિશેષ્ય હવે અહીં વપરાયેલાં વિશેષણો અને વિશેષ્યો જુઓ : ભીની માટી નવી પેન્સિલ સારા અક્ષર મોંઘી નોટ નવું માટલું લીસાં પાનાં લાંબો ચોટલો ડાહ્યો વિદ્યાર્થી નીચે લીટી દોરેલા શબ્દો વિશેષણો છે. માટી કેવી? અક્ષર કેવા? વગેરે પ્રશ્નો પૂછતાં...

ક્રિયાવિશેષણ

ક્રિયાપદમાં પણ બે જાતના શબ્દો આવે છે. ક્રિયાવિશેષણ અને આખ્યાત. જેમ નામનાં આકાર, રંગ, ગુણ વગેરેની વિશેષતા વિશેષણ બતાવે તેમ ક્રિયા કેવી રીતે થઈ તે ક્રિયાવિશેષણ બતાવે છે. નીચેનાં વાક્યો જુઓ : 1. દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. 2. પેલું બાળક પણ ધીમું-ધીમું ફૂલડાં ચૂંટતું હતું. 3. બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. 4. કોણ જાણે ક્ષણમાં શું બનશે? 5. સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. આ બધાં વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ક્રિયા કે ઘટના કેવી રીતે થઈ છે એ બતાવે છે. વાક્યોમાં ક્રિયાપદ એવું પણ હોય કે જે એકલી ઘટના કે સ્થિતિને બતાવે. જેમકે ‘બાળકે તેને ગોદમાં તેડી લીધું.' - આવી એકલી ક્રિયા, ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને આખ્યાત કહે છે. તમે સમજી શકશો કે જે કશું બને છે કે કોઈ કરે છે તે આખ્યાત દ્વારા બતાવાય અને એ કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે, એ ક્રિયાવિશેષણ દ્વારા બતાવાય છે. જેમકે 'બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું.' વાક્યમાં ક્રિયાવિશેષણ આખ્યાત પહેલાં જ આવે. ‘વહાલપૂર્વક તેડી લીધું' એવી રીતે લખાય કે બોલાય, 'તેડી લીધું વહાલપૂર્વક...

વિચાર-વિસ્તાર

કોઈ પણ વિચારને વિસ્તારથી સમજાવવો એટલે વિચાર-વિસ્તાર. તેને અર્થવિસ્તાર પણ કહેવાય છે. કોઈ પંક્તિ જ એવી હોય કે એમાં ઓછા શબ્દોમાં ઘણું જ કહેવાયું હોય છે. એમાં રહેલો અર્થ કે વિચાર પકડીને તેને ઉદાહરણો, કાવ્યપંક્તિઓ અને દલીલો વડે સમજાવવાનું કામ આમાં કરવાનું હોય છે. લખતી વખતે વાક્યો સરળ, અર્થસભર અને શુદ્ધ રીતે લખાયેલાં હોવાં જોઈએ. એમાં સામાન્ય રીતે ત્રણ વિભાગ હોય છે : 1. આખા વિચારનું બે-ત્રણ વાક્યમાં અર્થઘટન. 2. એમાં રહેલા વિચારનું દાખલા, દલીલો, પંક્તિઓ સાથે સ્પષ્ટીકરણ. 3. અંતે એમાં પ્રાપ્ત થતી શીખ કે બોધ. વિચાર-વિસ્તાર માટે આપેલી પંક્તિ ગદ્ય કે પદ્યની હોય છે. ચાલો આપણે એક નમૂનો જોઈએ : આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં. દહાડા; વિચાર કરતાં વિઘ્નો વચમાં, મોટાં આવે આડાં. આ પંક્તિમાં ભાગે આવેલું કામ સમયસર કરવાની શીખ આપવામાં આવી છે. કામને ઠેલવાથી કે મોડું કરવાથી વચ્ચે કેટલીક મુશ્કેલીઓ આવી પડે છે. આપણે સારું કામ કરવામાં ક્યારેય વિલંબ કરવો જોઈએ નહીં. કોઈ કામને કારણ વગર કાલ ઉપર શા માટે છોડવું? આજે જ કરવાનું હોય તે કામમાં આજે જ લાગી જવું. ક્યારેક એવું બને કે થોડું મોડું કરીએ અને કંઈક વિઘ્ન આવીને ઊભું રહે...